અનુષ્ટુપ છંદ 32 અક્ષરનો અક્ષરમેળ છંદ છે.
આ છંદમાં આઠ અક્ષરના ચાર ચરણ હોય છે. બે ચરણ એક પંક્તિમાં લખાય છે.
આમ બે પંક્તિમાં કુલ 32 અક્ષરનો મેળ થાય છે.
દરેક ચરણમાં પહેલા ચાર અક્ષર ગમે તે એટલે કે લઘુ કે ગુરુ હોઈ શકે.
પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ નિશ્ચિત અને છઠ્ઠો, સાતમો
અને આઠમો અક્ષર સામાન્ય રીતે ગુરુ હોય છે.
બીજા અને ચોથા ચરણમાં પાંચમો અને સાતમો અક્ષર લઘુ નિશ્ચિત અને
છઠ્ઠો ને આઠમો અક્ષર સામાન્ય રીતે ગુરુ હોય છે.
આ છંદમાં એક ગુરુને સ્થાને બે લઘુ લઇ શકાય નહીં.
કારણ કે એમ કરવાથી અક્ષરનો મેળ તૂટે છે.
જેમ કે…
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે;
ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિ આ આપને નમે.
*અહીં બોલ્ડ લેટર લઘુ અક્ષર દર્શાવે છે.
ઉદાહરણ-
સોટી ને શિક્ષકો કેરા, શાળા માંહે સમાગમે;
વિદ્યા ને વેદના બે મેં, એક સાથે જ મેળવ્યા.
***
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી.
***
વૃદ્ધ માતા અને તાત, તાપે છે સગડી કરી;
અહો ! કેવું સુખી જોડું, કર્તાએ નિરમ્યું દીસે !
ક્રમશઃ