એટલે તો ટેરવું કંકાવટીમાં ન્હાય છે,
સ્વપ્ન,શ્રદ્ધા,લાગણીનો ત્યાં જ સંગમ થાય છે.
આપણું આ કેસરી-લીલાપણું સાચું નથી,
જો હટાવી લ્યો પ્રિઝમ તો શ્વેત સૌ દેખાય છે.
પ્રશ્ન અંતરનો નથી બસ યોગ્ય સાધન જોઇએ,
મોરના પીછાં વડે ગોકુળિયે પહોંચાય છે.
ટેવ ક્યાં છે કે તપાસે આદમી એનો સ્વભાવ,
એ હવાની જેમ નહિતર ચોતરફ ફેલાય છે.
હાથની આડસ કરી લે તો બધું સચવાય, દોસ્ત !
ઘરમાં દીવો, ખુલ્લી બારી ને પવન ફૂંકાય છે.
-હેમાંગ જોશી
MARKAND DAVE said
એટલે તો ટેરવું કંકાવટીમાં ન્હાય છે,
સ્વપ્ન,શ્રદ્ધા,લાગણીનો ત્યાં જ સંગમ થાય છે.
ખૂબ સુંદર..!!
દક્ષેશ કોન્ટ્રાકટર said
હાથની આડસ કરી લે તો બધું સચવાય, દોસ્ત !
ઘરમાં દીવો, ખુલ્લી બારી ને પવન ફૂંકાય છે.
વાહ … આખી ગઝલ મજાની થઈ છે.
અશોક જાની 'આનંદ' said
ખુબ જાણીતા રદીફ, કાફિયા અને છંદમાં નવી અભિવ્યક્તિ આવરી લેતી સુંદર ગઝલ….
આપણું આ કેસરી-લીલાપણું સાચું નથી,
જો હટાવી લ્યો પ્રિઝમ તો શ્વેત સૌ દેખાય છે.
ટેવ ક્યાં છે કે તપાસે આદમી એનો સ્વભાવ,
એ હવાની જેમ નહિતર ચોતરફ ફેલાય છે.
વાહ..કવિ,
Dhrutimodi said
સાદ્યંત સુંદર ગઝલ. દરેક શેર માણવા લાયક છે.
urvashi parekh said
saras rachna,
haathni aadasha ane tervu kankavati ma nhay chhe. ekdam alag ane sundar vaat.
Sudhir Patel said
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Satish Kalaiya said
Joshibhai,
Ghazal ni chelli linema ` gharma divo ne chahere ojas felay che !` evu na lakhi shakay ?