જો તારાથી બને, તો શબ્દનો નિષ્ક્રર્ષ મોકલજે,
ફુલો મુરઝાઈ જાશે, તું મને બસ અર્ક મોકલજે.
વ્યથા જો ‘હું’ અને ‘તું’ની જ પલ્લે મુકવાની હો,
સહજ બે ભાગમાં વ્હેંચાય એવું દર્દ મોકલજે.
વિષય તારો જ હો તો પણ ઉઠે સંદેહ જો મનમાં,
કરું સંદેહ પર સંદેહ, એવો તર્ક મોકલજે.
બધાં મરનાર સીધા સ્વર્ગ પ્હોંચે છે, પ્રભુ સાંભળ,
મને ગમતી નથી બહુ ભીડ તેથી નર્ક મોકલજે.
કદી ઘેરી વળે જો ‘સૂર’ને મહેફિલમાં ઉદાસી,
પ્રસારે રોમે રોમે હર્ષ એવી તર્જ મોકલજે.
– સુરેશ પરમાર ‘સૂર’
saras rachna. shabd no nishkarsh ane, be bhag ma sarkhu vahenchay tevu dard mokalje. saras mangni.
Saras rachna.Maja avi.
વાહ સ-રસ ગઝલ
સૂર મહેફિલમાં હોય તો ઉદાસી કેવી ?
મત્લાથી મક્તા સુધી એક જૂદી જ ભાત ઉપસાવતી સુંદર ગઝલ !
અભિનંદન !
થેંકયુ પ્રવીણભાઈ
ઉર્વશીબેન, દિપ્તીબેન, જૈમિન…સૌનો આભાર.
બધાં મરનાર સીધા સ્વર્ગ પ્હોંચે છે,પ્રભુ સાંભળ,
મને ગમતી નથી બહુ ભીડ તેથી નર્ક મોકલજે.
વાહ ! અથથી ઇતિ ખૂબ સરસ ગઝલ.
વધુ એક લાજવાબ ગઝલ.તાજગી ફરીથી માણી.મારા દિલી અભિનંદન
વિષય તારો જ હો તો પણ ઉઠે સંદેહ જો મનમાં,
કરું સંદેહ પર સંદેહ, એવો તર્ક મોકલજે… વાહ… આનું નામ ભરોસો,,,
મસ્ત ગઝલ..!!
સન્મિત્ર સુરેશભાઇએ સરસ કાફિયાઓનો સહારો લઇ રચેલી સુંદર ગઝલ.
વ્યથા જો ‘હું’ અને ‘તું’ની જ પલ્લે મુકવાની હો,
સહજ બે ભાગમાં વ્હેંચાય એવું દર્દ મોકલજે.
ધૃતિબેન,કિશોરભાઈ,અશોકભાઈ,કીર્તિકાંતભાઈ…આપ સૌનો આભાર.
vah…sur…narka vado sher…vah vah vah
Thank You, ‘Madhur’