ખાલી મકાનમાંથી અંધાર વેચવો છે,
ઉજ્જવળ કપાસ જેવો દમદાર વેચવો છે.
કોની હથેળીમાં છે એ મુલ્ય જોઉ છું હું,
બોલી કરે છે સાધુ સંસાર વેચવો છે.
એકેક રેખા ભુંસી દુનિયાને એક કરવી,
એવું જ કૈંક ધારી વેપાર વેચવો છે.
તેની દલીલ એવી ગ્રંથોય ગુંચવાતા,
ઇશ્વરની સામે માણસ ખુંખાર વેચવો છે.
કાગળથી શ્વેત બીજું શું હોય વસ્ત્ર બોલો,
મૃત્યુને શોભે એવો શણગાર વેચવો છે.
– નરેશ સોલંકી
wah, very nice gazal.
મત્લાથી લઈને મકતા સુધી.. ખૂબ સુંદર ગઝલ…
મોજ આવી ગઈ
सुंदर गझल
કાગળથી શ્વેત બીજું શું હોય વસ્ત્ર બોલો,
મૃત્યુને શોભે એવો શણગાર વેચવો છે.
sundar rchna……..
વાહ, સાંગોપાંગ સુંદર ગઝલ.
તેની દલીલ એવી ગ્રંથોય ગુંચવાતા,
ઈશ્વરની સામે માણસ ખૂંખાર વેચવો છે.
સુંદર ગઝલ…
વાહ નખશિખ મજાની ગઝલ