Daily Archives: November 27, 2016

હરખાઈ જાશે

મલકતાં ક્યાં કશું વપરાઈ જાશે ?
હશે ચહેરે વ્યથા, સંતાઈ જાશે.

ભલેને આપદા આવે જીવનમાં,
ઘણાંની મિત્રતા પરખાઈ જાશે.

છલક્વા દો ખુશીને સાવ સહજે
દુ:ખો બસ એ રીતે ધરબાઈ જાશે.

અગર દોડી શકો તો દોડજો ભૈ,
આ શમણું બસ હવે પકડાઈ જાશે.

અગર આવે તમારે ઘેર ‘આનંદ’
જગતના લોક પણ હરખાઈ જાશે.

અશોક જાની ‘આનંદ’